Site icon hindtv.in

સુરત પોલીસ કમિશનર પેટ્રોલિંગમાં નિકળ્યા

સુરત પોલીસ કમિશનર પેટ્રોલિંગમાં નિકળ્યા
Spread the love

સુરત પોલીસ કમિશનર પેટ્રોલિંગમાં નિકળ્યા

લોકોને અફવાથી દુર રહેવા અપીલ કરી હતી

સુરતમાં તહેવારો સમયે અફવાઓ વધી રહી હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર જાતે પેટ્રોલિંગમાં નિકળ્યા હતા અને લોકોને અફવાથી દુર રહેવા અપીલ કરી હતી.

સુરત શહેરમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કાકરીચાળો ન કરે તે માટે સુરત પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે. તો ગત વર્ષે સૈયદપુરા વિસ્તારમાં છમકલુ થયુ હોય અને આ વર્ષે નાનપુરાના નામે અફવાઓ ફેલાઈ રહી હોય જેથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત જાતે જ પેટ્રોલિંગમાં નિકળી પડ્યા છે. સુરત પોલીસ કમિશનરે સૈયદપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લોકોને અફવાઓથી દુર રહેવા અપિલ કરી હતી.

Exit mobile version