સુરત એલસીબી ઝોન 1 ની ટીમેં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપ્યા
વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી
આરોપીઓ ભવાન ઝીંજાળા અને અભિષેક આહિરને ઝડપ્યા
એલસીબી ઝોન 1 ની ટીમ વરાછા પોલીસ મથકમાં લાખોની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર જામિર, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર ના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1 ની ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે અહેકો સહદેવસિંહ અને કરણસિંહ ને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકના 42.50 લાખની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ ભવાન ઝીંજાળા અને અભિષેક આહિરને ઝડપી પાડી તેઓનો કબજો વરાછા પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

