ભાવનગર શહેરના આડોડિયાવાસમાં આપઘાતનો પ્રયાસ
યુવકેઅગમ્ય કારણોસર પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો
ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર જ્વલનશિલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના આડોડીયાવાસ તિલકનગર વિસ્તારમાં રહેતા યજ્ઞેશભાઈ બાબાભાઈ રાઠોડ નામના યુવકે પોતાની જાતે પોતાના શરીર ઉપર જ્વલનશીલ પ્રદાર્થ નાખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઇ ગંભીર રીતે દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા, બનાવને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી….

