ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત ઉભી
સંગ્રહખોરી કરનારાઓ સામે સરકાર લાલ આંખ કરી
યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત ઉભી થઈ હોય જેને લઈ ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપી સંગ્રહખોરી કરનારાઓ સામે સરકાર લાલ આંખ કરી બેઠી હોવાનુ જણાવ્યુ હતું.
સુરત ઈકોના ચેરમેન દિલીપ સંઘાણી એ ગેસની અછતને લઈ નિવેદન આપ્યુ હતું. અને જણાવ્યુ હતું કે યુદ્ધની પરિસ્થિતિને લઈને ગેસના સંગ્રહ ખોરી કરનારાઓ ઉપર સરકાર બાજ નજર રાખી રહી છે. સંગ્રહ ખોરી કરતાં લોકો સામે સરકારે એક્શન પણ લીધા છે. ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી આ સિઝન પૂરતો ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. તો દિલીપ સંઘાણી એ એમ પણ કહ્યુ હતુ કે તમામ દેશોની પરિસ્થિતિ વચ્ચે ભારતની પરિસ્થિતિ થોડી સારી છે. સરકારે સૌ પ્રથમ ઘરેલુ ગેસને આપી અને બીજા ઉદ્યોગોની અંદર કાપ મુકવામાં આવ્યો છે. સરકારની ગાઈડ લાઈન મુજબ લોકોએ વર્તવું જોઈએ તેમ કહ્યુ હતું.
