સુવાગીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન
ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો..
બગસરા શહેરમાં પટેલ વાડી ખાતે સુવાગીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયું ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો..
અમરેલીના બગસરા શહેરમાં પટેલ વાડી ખાતે સુવાગીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન 21 થી 27 માર્ચ સુધી ભક્તિ ભાવથી કરવામાં આવ્યું પવિત્ર શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં શાસ્ત્રી મુકુંદ મહારાજ અને શાસ્ત્રી જયેશ મહારાજ દ્વારા કથાનુ રસપાન કરાવી રહ્યા છે ભાવી ભક્તો માટે આયોજકો દ્વારા ભોજન પ્રસાદનુ આયોજન કરાયું આયોજક પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગિયાએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમની સાથે દરરોજ રાત્રિએ લોકસાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું આ કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા….

