સુરતમાં સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬માં લગ્ન સમારોહનું આયોજન કરાયું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬માં લગ્ન સમારોહનું આયોજન કરાયું
સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૬૦૦૦થી વધુ લગ્ન કરાવવામાં આવ્યા
આ સમૂહલગ્નમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

સુરતમાં સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬માં લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આજસુધીમાં સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૬૦૦૦થી વધુ લગ્ન કરાવવામાં આવ્યા હતા.

સુરતમાં સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬માં લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કિરણચોક સિલ્વર ફાર્મ ખાતે આ આયોજન કરવામાં આવ્યુ હતું આ સમૂહ લગ્નમાં ૨૧ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજમાં ખોટા રીવાજો દુર થાય અને લોકો ખોટા ખર્ચા ના કરે તે હેતુથી દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આજસુધીમાં સબંધ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૬૦૦૦થી વધુ દીકરા – દીકરીઓના લગ્ન કરાવાયા છે. આ સમૂહલગ્નમાં ઘલુડીધામના ગો સેવક શાસ્ત્રી શ્રી અક્ષયપ્રસાદદાસજી, ૧૦૦૮ મહંત પરશુરામબાપુ ગુરુ ઉર્ફે ખારીયા બાપુ ,કોર્પોરેટર વિપુલભાઈ મોવલીયા , માજી ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા , શંભુભાઈ ભગત , બકુલભાઈ ગજેરા , બાળવાર્તાકાર આર્યાબેન લુણાગરિયા, ઘનશ્યામભાઈ બિરલા , કિશોરભાઈ સોજીત્રા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *