સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો
૪ હિન્દુ નવયુગલો અને ૧૦ મુસ્લિમ નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને સાધુ સંતોની ઉપસ્થિતિ

સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં 4 હિન્દુ નવયુગલો અને 10 મુસ્લિમ નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા

સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્નને લઇ સર્ધર્મ એકતા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ જાકીર શાહ ની આગેવાની હેઠળ રવિવારના રોજ ફૂલવાડી એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 હિન્દુ યુગલો અને 10 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ અંગે માહિતી આપતા સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરતના પ્રમુખ જાકીર શાહ અને ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને માતા કે પિતા વિહોણી હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન તેમની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

સુરતના ભરીમાતા કોઝવે રોડ, ફુલવાડી ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે તારીખ 4 મે 2025 ના રવિવારના રોજ સવારે 10 કલાકે યોજાનારા આ સમુહલગ્ન સમારોહમાં સાધુ સંત સમાજના અગ્રણી , શ્રી સુરેશદાસજી મહારાજ,મૌલાના અબ્દુલ ગફુર સાહબ, શ્રીગ્રંથિ સાહેબભાઈ ગુરુમિત સિંહજી, શ્રી મૌલાના અબ્દુલ રસીદ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મનપાના પૂર્વ મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ, મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ હિરલ ગોસ્વામી તેમજ શહેરના વિવિધ સેવાભાવી સંસ્થાના આગેવાનશ્રીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીશ્રીઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. સર્વ ધર્મ સમાજ એકતા સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાનાર તમામ નવયુગલોને કરિયાવરને લગતો તમામ સાધન સામગ્રીની ભેટ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *