સુરતની સરથાણા પોલીસે બળાત્કારના આરોપીને ઝડપ્યો
ચેતન ધીરૂભાઈ સુખડીયાને ઝડપી પાડ્યો
સુરતની સરથાણા પોલીસે બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી શોધી કાઢી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં બળાત્કારના વધી રહેલા બનાવો વચ્ચે વધુ એક નરાધમ બળાત્કારીને પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે. સુરતના સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે બાતમીદારોની મદદથી અને હ્યુમન સોર્સિસની મદદથી સરથાણા પોલીસે નરાધમ બળાત્કારી વરાછા ચીકુવાડી ખાતે રહેતા ચેતન ધીરૂભાઈ સુખડીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

