Site icon hindtv.in

દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડ

દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડ
Spread the love

દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડ
4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન કરવામાં આવ્યું
પત્રકાર પરિષદ માં માહિતી અપાઈ

દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડની બીજી આવૃત્તિનું 4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026 ના રોજ આઈસીસી ચેરમેન જય શાહની હાજરીમાં સુરતમાં વીએનએસજીયુ કેમ્પસ ખાતે યોજાનાર છે. જે અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજન સમિતિના સહ સહયોજક અમિત ગજ્જરએ જણાવ્યું હતું કે આ ચેરિટી રનમાં 8 થી 10 હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને 2,20,000 ના રોકડ ઇનામો આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં એએમએનએસ મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, પીપીએલ અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઇસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહ સહયોજક એવા પીપલ્સ બેંકના ચેરમેન ઘનશ્યામ શંકર અમિતભાઈ ગજ્જર, શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સમિતિના સહ સહયોજક શ્યામજી રાઠીએ જણાવ્યું કે, રન ફોર ગર્લ ચાઇલ્ડ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે.

સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે.આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષ માં 159 માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105 માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવ્યો છે. તો આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Exit mobile version