Site icon hindtv.in

આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન.

આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન.
Spread the love

આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન.
શિક્ષણ – આરોગ્ય સુવિધાઓ પર વ્યક્ત કરી ચિંતા.
આ બંને મોંઘા થતા સામાન્ય માણસ પીસાય છે
શિક્ષણ-આરોગ્યને વેપાર બનાવી દેવામાં આવ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશમાં આરોગ્ય અને શિક્ષણની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, જે સેવાઓ પહેલા દરેક નાગરિક માટે ઉપલબ્ધ હોવી જોઈતી હતી, તેનું હવે વ્યાપારીકરણ થઈ ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે સારા આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ બંને ખૂબ મોંઘા થઈ ગયા છે, અને સામાન્ય નાગરિકોની પહોંચની બહાર છે. એક સમય હતો જ્યારે આરોગ્ય અને શિક્ષણને સમાજસેવાના ભાગ તરીકે ગણવામાં આવતા હતા. સેવાભાવથી આ ક્ષેત્રોમાં કામ થતું હતું. પરંતુ આધુનિક યુગમાં, આ બંને ક્ષેત્રો સંપૂર્ણપણે વ્યાપારી બની ગયા છે. તેમણે કહ્યું, “સારી આરોગ્ય સંભાળ અને શિક્ષણ હવે સામાન્ય નાગરિકોની પહોંચની બહાર છે, તે ન તો સસ્તા છે કે ન તો સુલભ છે.”

ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધની ગરમાગરમી વચ્ચે RSSના વડા મોહન ભાગવતનું અર્થતંત્ર અને આધ્યાત્મિકતા પરનું નિવેદન ઘણું મહત્વ ધરાવે છે. નાગપુરમાં આપેલા આ ભાષણમાં તેમણે રાષ્ટ્રના સાચા ગૌરવ અને વૈશ્વિક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. દુનિયા ભારતને તેના આધ્યાત્મિકતા (આધ્યાત્મિક જ્ઞાન) માટે મહત્વ આપે છે. એટલા માટે તે આપણને વિશ્વગુરુ માને છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અર્થતંત્રમાં ભારતની પ્રગતિ ભલે ગમે તેટલી હોય, તે વિશ્વ માટે કોઈ અનોખી વાત નથી. ઘણા વિકસિત દેશો, જેમ કે અમેરિકા અને ચીન, પહેલેથી જ આર્થિક રીતે સમૃદ્ધ છે. ભારતનું સાચું મૂલ્ય તેની ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખમાં રહેલું છે, જે અનન્ય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version