સુરતમાં રાસ ગરબા મહોત્સવ 2025નુ આયોજન કરાયુ
રાસ ગરબા મહોત્સવ 2025માં મોટી સંખ્યામા ગ્રામજનો જોડાયા
સુરતમાં ચોર્યાસી તાલુકા માહ્યાવંશી વિકાસ મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ 2025નુ આયોજન કરાયુ હતું.
સુરતના પર્વત પાટીયા ખાતે આવેલ મનપાના કોમ્યુનિટી હોલમાં શ્રી ચોર્યાસી તાલુકા માહ્યાવંશી વિકાસ મંડળ કે જેમાં ગ્રામ્ય તથા 63 ગામોનુ સીટીમાં સમાવેશ થયો હોય તેઓ માટે રાસ ગરબા મહોત્સવ 2025નુ આયોજન કરાયુ હતું. તો બારડોલીના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર આ સમારંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તો આ રાસ ગરબા મહોત્સવ 2025માં મોટી સંખ્યામા ગ્રામજનો જોડાયા હતા અને હર્ષોલ્લાસ સાથે ઉજણી કરી હતી. જે અંગે મંડળના આગેવાને વધુ માહિતી આપી હતી.

