માંડવી જેપીનગર કુબેરેશ્વર મહાદેવના મંદિરે રામકથા
વક્તા શ્રી હરિયાણી બાપુના સાનિધ્યમાં શ્રી રામકથા રસપાન
માંડવી જેપી નગર સોસાયટી ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મહાદેવના પવિત્ર પટાંગણમાં વક્તાશ્રી હરિયાણી બાપુના સાનિધ્યમાં ભવ્ય રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે
રામકથા તારીખ 17 3 2026 ના રોજ થી તારીખ 25 3 2026 સુધી રસપાન કરવામાં આવશે કથાનો સમય રાત્રે આઠ કલાકે થી 11 કલાક સુધી કથા ચાલશે. કથાની પોથીયાત્રા મિલનભાઈ આહીર ના ઘરેથી ડીજેના સથવારે રંગે ચંગે ભક્તિ માંહોલમાં આનંદ ઉત્સાહભેર કથા મંડપ સ્થળે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાના ચોથા દિવસે વક્તા શ્રી હરિયાણી બાપુએ ભગવાન શિવ પાર્વતી નો લગ્નનો પ્રસંગ વર્ણવ્યો હતો અને એમની મધુર વાણી દ્વારા ખૂબ જ સુંદર દ્રષ્ટાંતો રજૂ કરી શ્રોતાજનો ભક્તિ ભાવ માહોલમાં મંત્રમુગ્ધ કર્યા હતા ધર્મ પ્રેમી બહેનો ગરબાના કાલે ઝૂમી ઉઠ્યા હતા અને ખૂબ જ સુંદર કથાના રસપાન નો લાહ્વો લઈ પાવન થયા હતા. આ શ્રી રામ કથાનું આયોજન સમસ્ત જે પી નગર સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું…

