Site icon hindtv.in

સુરતના વકીલો દ્વારા વિરોધ કરાયો

સુરતના વકીલો દ્વારા વિરોધ કરાયો
Spread the love

સુરતના વકીલો દ્વારા વિરોધ કરાયો
સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશને લઈ વિરોધ
ચેમ્બરમાં બેસી તઘલાધી નિર્ણય લેવાયો

સુરતના મદદનીશ નોંધણી સર નીરીક્ષક અને તમામ સબ રજીસ્ટ્રારોને પ્રોપર્ટી રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા આપેલા આદેશને લઈ વકીલો દ્વારા વિરોધ કરાયો હતો.

સુરતના મદદનીશ નોંધણી સર નીરિક્ષક ડી.એમ. પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જે પરિપત્રમાં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનને લઈ સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા માટે આદેશ આપ્યો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરાયો હતો. વકીલોએ જણાવ્યુ હતું કે સરકારી પરિપત્ર ન હોય સુરતના અધિકારી દ્વારા પોતાની ચેમ્બરમાં બેસી આ તઘલાધી નિર્ણય લેવાયો છે. જેને લઈ આ મામલે સુરત કલેકટરને વકીલો દ્વારા સમય માંગી આ તઘલાધી નિર્ણયનો વિરોધ કરી આ નિર્ણયને ત્વરિત પરત ખેંચવમાં આવે તેવી માંગ કરાશે તેમ વકીલોએ જણાવ્યુ હતું.

Exit mobile version