નવસારીમાં વરસાદી નુકસાની મામલે સીએમને રજૂઆત
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર
નવસારીમાં વરસાદી નુકસાની મામલે સીએમને રજૂઆત કરતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર
નવસારીમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે વિશેષ પેકેજની માંગ કરતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખ્યો, તેમજ SDRF/NDRF ના રાહત નિયમોમાં તાત્કાલિક સુધારો કરવા રજૂઆત કરી અને કુદરતી આફતમાં સરકારની સંવેદના સમયગાળાથી નહીં, નુકસાનથી માપવી જોઈએ” ઘરમાં ૪૮ કલાક પાણી ભરાયેલું રહે તો જ સહાયના નિયમનો વિરોધ કર્યો છે ધારાસભ્યએ સવાલ કરતા કહ્યું છે શું ૧૦ થી ૨૪ કલાક પાણી ભરાય તો નુકસાન નથી થતું ? ૪૮ કલાકની શરત દૂર કરી વાસ્તવિક નુકસાનના આધારે વળતર ચૂકવવા માંગ કરી છે. અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરી માટે તાત્કાલિક રોકડ સહાયની માંગ કરાય છે. નુકસાનીનો સર્વે ઝડપી પૂર્ણ કરી સીધી ખાતામાં સહાય જમા કરવા રજૂઆત પણ કરી છે. ખેડૂતો, નાના વેપારીઓ અને દૈનિક મજૂરો માટે અલગ રાહત યોજનાની માંગ

