સુરતના 125 બ્રિજ પર ટુ-વ્હીલર માટે નો-એન્ટ્રી
સેફ્ટી ગાર્ડ’ લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુકિ્ત
ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનો નિર્ણય
સુરતના 125 બ્રિજ પર ટુ-વ્હીલર માટે નો-એન્ટ્રી અને સેફ્ટી ગાર્ડ’ લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુકિ્તનો ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનો નિર્ણય
સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબિ્રજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતંગના દોરાના કારણે વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ન થાય અને કોઈ જાનહાની નહિ થાય તે હેતુથી આગોતરું આયોજન કરવામાં આવ્યું છે

