ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રા
પરિમલ ચોક ખાતે કાર્યાલય નું ઉદઘાટન કરાયું…
ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સુરતમાં ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાને લઈને પરિમલ ચોક ખાતે કાર્યાલય નું ઉદઘાટન કરાયું…
ભાવનગરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ વર્ષે પણ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા નીકળવાની છે. જેને લઈને રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે જે અંતર્ગત શહેરના પરિમલ ચોક ખાતે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આજરોજ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ સાથે પૂજા આરતી તેમજ ધ્વજારોહણ કરી રથયાત્રા કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગરના સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

