Site icon hindtv.in

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર આધુનિકરણ

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર આધુનિકરણ
Spread the love

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર આધુનિકરણ
પ્લેટ ફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ

સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર આધુનિકરણના કામને લઈ પ્લેટ ફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રહેશે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સુવિધા વગરના પ્લેટફોર્મ નંબર 6 પરથી ટ્રેન ઉપડશે. કારણ કે આજે 17 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 અને 5 ને 100 દિવસ માટે બંધ રહશે. ઉધના રેલવે સ્ટેશન પર આધુનિકીકરણના કામને લઈ પ્લેટફોર્મ નંબર 4 અને 5 બંધ રહેશે. સુવિધા વગરના પ્લેટફોર્મ પરથી મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે પ્લેટફોર્મ 6 પર હાલમાં પાણીના પરબ, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂર્ણ પણે ઉપલબ્ધ નથી. આ પ્લેટફોર્મ પરથી પસાર થતી તમામ ટ્રેનોને હવે પ્લેટફોર્મ નંબર 6 પરથી ચલાવવામાં આવશે. વધુ મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડશે. હાલમાં પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉપરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ફરી હાલાકી થઈ રહી છે. તો સુરત તરફ જતા વિસ્તારમાં એક્સેસ હજુ વિકસિત નથી જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં પણ અડચણ ઉભી થશે.

Exit mobile version