સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે મિલેનિયમમાં આગ
મિલેનિયમ ટુ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી
આગ લાગતા વેપારીઓનો જીવ તાળવે ચોટયા
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે રિંગરોડ પર આવેલ મિલેનિયમ ટુ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતના રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ ટુ માર્કેટમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. તો આગની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને આગ ઉપર ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતુ. આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર કંટ્રોલમાં લીધી હતી. જો કે આગ લાગતા વેપારીઓનો જીવ તાળવે ચોટયા હતા.

