સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અનેક બેદરકારી
ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારની બદલી કરાઈ
હોસ્પિટલનો ચાર્જ ડો. પારુલ વડગામાને સોંપવામાં આવ્યો
ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવ્યા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારની બદલી કરાઈ છે. તેમની જગ્યાએ પારૂલ વડગામાને ચાર્જ સોંપાયો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરાઈ છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી. જે બાબતે ગંભીરતાથી નોંધ લઇને બદલી કરાઈ છે. સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો. પારુલ વડગામાને સોંપવામાં આવ્યો છે.

