ઉધના ફેક્ટરી આગ કેસમાં મોટી કાર્યવાહી,
ભાટેનામાં ભીષણ આગ બાદ કડક એક્શન,
4 કારીગરોના મોત મામલે ફરિયાદ નોંધાઈ
પોલીસે માલિક સહિત બેની ધરપકડ કરી
સુરતના ઉધના માટેના વિસ્તારમાં ગત 19મી એ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ મામલે ફેક્ટરી માલિક સહિત બેની પોલીસે બેદરકારી બદલ ધરપકડ કરી છે.
સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટનાઓ વચ્ચે ગત 19 મે જાન્યુઆરીના રોજ ઉધના ના ભાટેના વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી જેમાં પાંચ જેટલા કારીગરો દાજી ગયા હતા. તો દાઝેલાઓ માંથી ગંભીર ચાર લોકોના હોસ્પિટલના બીજાને મોત નીપજ્યા હતા. આ આગ દુર્ઘટના મામલે ઉધના પોલીસે ફેક્ટરી માલિક સહિત બે સામે બેદરકારીની ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરી હતી. જે અંગે ઉધના પીઆઇએ વધુ માહિતી આપી હતી.
