આજે 3 માર્ચના રોજ ચંદ્ર ગ્રહણ
સુરત અઠવાલાઈન્સ ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરના દરવાજા બંધ
મંદિર પરિસરમાં શાંતિપુર્ણ માહોલ જોવા મળ્યો
આજે 3 માર્ચના રોજ ચંદ્ર ગ્રહણને લઈ સુરત અઠવાલાઈન્સ ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરના દરવાજા બંધ કરાતા મંદિર પરિસરમાં શાંતિપુર્ણ માહોલ જોવા મળ્યો હતો.
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર આજે ચંદ્રગ્રહણને કારણે બંધ રાખવામાં આવ્યું છે. ગ્રહણના નિમિત્તે મંદિરના દરવાજા બંધ હોવાથી પરિસરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. મંદિરના દરવાજા બંધ હોવા છતાં ભક્તો મંદિર બહાર પહોંચી ગયા હતા અને બહારથી જ માતાજીના દર્શન અને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતાં. તો તો મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેન અંબિકા તરફથી સ્પષ્ટ અપીલ કરવામાં આવી કે કાલે સવારે મંદિર નિયમિત સમય મુજબ ખુલશે અને ભક્તોને સરળતાથી દર્શન મળશે. વધુમાં ભક્તોને અપીલ કરવામાં આવી કે અનાવશ્યક ભીડ ન કરે અને કાલે સવારે નિયમ મુજબ આવી દર્શન કરે. આજે મંદિર બંધ હોવાથી ભક્તોમાં કાલે સવારે દર્શન કરવા માટે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

