માંડવી તાપી રિવરફ્રન્ટ ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તાપીમાતા મંદિરે દીપ પ્રગટાવાયા
માંડવી નગરપાલિકા જી. સુરત દ્વારા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની ઉજવણી ના ભાગરૂપે માંડવી તાપી નદી રિવરફ્રન્ટ ખાતે આવેલતાપીમાતા મંદિરે આશીર્વાદનો દીવડો નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં 2500 દીવડાઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ સુંદર તસવીર બનાવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રસંગે સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા. ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ. નગર સંગઠન પ્રમુખ પ્રીતેશભાઈ રાવળ. નગરપાલિકપ્રમુખ અમિષાબેન રાઠોડ. ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા. કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી. અરેઠ તાલુકા પ્રભારી નટુભાઈ રબારી. મામલતદાર જય પ્રકાશ મિસ્ત્રી. તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર, શાલીનભાઈ શાહ દ્વારા તાપી મૈયા ની આરતી ઉતારવામાં આવી હતી. . તેમજ 1028 યોજનાકીય લાભાર્થી અને નાગરિકોની ઉપસ્થિતિ માં કાર્યક્રમ ની સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હતો..

