Site icon hindtv.in

સુરત ડુમસમાં ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કર્યું

સુરત ડુમસમાં ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કર્યું
Spread the love

સુરત ડુમસમાં ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
દરેક વ્યક્તિએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની સંભાળ રાખવી

સુરત ડુમસમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડુમસના જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે પર્યાવરણના જતન માટે દરેક વ્યક્તિએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની સંભાળ રાખવા અપીલ કરી હતી.

દીપકભાઈ ઇજારદારે જણાવ્યું હતું કે વૃક્ષો માનવજીવન માટે અમૂલ્ય સંપત્તિ છે. વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય છે. તેમણે સમાજના દરેક વર્ગને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.

તેમની આ સરાહનીય પહેલથી સ્થાનિક લોકોમાં હરિયાળી, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિના સંરક્ષણ અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Exit mobile version