સુરતમાં આગના વધી રહેલા બનાવો
સરથાણા વિસ્તારમાં બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ
સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોય જાનહાની ટળી
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે સરથાણા વિસ્તારમાં બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જો કે સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોય જાનહાની ટળી હતી.
સરથાણા વિસ્તારમાં ખાનગી લકઝરી બસમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. તો બસમાં આગ લાગ્યાની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને ફાયપરની ટીમ દ્વારા સતત પાણીનો મારો કરી બસમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો. તો શોર્ટ સર્કીટના કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ હતું. જો કે બસ ખાલી કોઈ આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

