સુરત જિલ્લામાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
પલસાણામાં નવ ફેબ્રુઆરીએ બનેલી અકસ્માતની ઘટના
ઈજાગ્રસ્તનુ સુરત સિવિલ હોસ્પિટલે મોત નિપજ્યુ
સુરત જિલ્લામાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પલસાણામાં નવ ફેબ્રુઆરીએ બનેલી અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તનુ સુરત સિવિલ હોસ્પિટલે મોત નિપજ્યુ હતું.
સુરત જિલ્લામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે પલસાણા તાલુકાના મલેક ચોકડી પાસે નવ ફેબ્રુઆરીના રોજ અજાણ્યા વાહન ચાલકે એક યુવાનને અડફેટે લીધો હતો. વિકાસ હળપતિ નામના બારડોલી ખાતે રહેતા યુવાનને ગંભીર ઈજાઓ થતા પલસાણા હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરત નવી સિવિલે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનુ મોત નિપજતા હાલ પલસાણા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

