સુરતમાં ફરી વરાછા પોલીસ પર આક્ષેપની ઘટના
બુટલેગર દ્વારા માર મરાયા બાદ વરાછા પોલીસે માર માર્યો
ત્રણ દિવસ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો
સુરતમાં ફરી પોલીસ પર આક્ષેપની ઘટના સામે આવી છે. બુટલેગર દ્વારા માર મરાયા બાદ વરાછા પોલીસ મથકે જતા પોલીસે પણ ત્રણ દિવસ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
સુરતમાં રોજગાર માટે આવેલા વિનોદ સાંકડ વરાછા લાભેશ્વર ચોકી પાછળ ચાલતા બુટલેગરને ત્યાં દારૂ પિવા ગયો હતો ત્યાં તેની સાથે ઝઘડો થતા બુટલેગર દ્વારા વિનોદ સાંકડ અને તેના મિત્ર પર હુમલો કરાયો હતો જે અંગે વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ કરવા જતા પોલીસ દ્વારા ત્રણ દિવસ ગોંધી રાખી માર મારી, 200 ઉઠક બેઠક કરાવી યાતના આપી હોવાના આક્ષેપ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા ઈસમે કર્યા હતાં.

