સુરતમાં ફરી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો
અમરોલી વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ
રસ્તા પર પાણીના ફુવારા ઊડતા સેંકડો લીટર પાણી વેડફાઈ ગયુ
સુરતમાં ફરી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હોય તેમ અમરોલી વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણીના ફુવારા ઊડતા સેંકડો લીટર પાણી વેડફાઈ ગયુ હતુ જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.
સુરત મહાનગર પાલિકાની બેદરકારીના કારણે અમરોલી વિસ્તારમાં વર્ધમાન સોસાયટી નજીક પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીના ઊંચા ફુવારા ઊડ્યા હતા. જેના કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે આસપાસના વિસ્તારમાં અવરજવર પણ પ્રભાવિત થઈ છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ અધિકારી કે મરામત ટીમ સ્થળ પર પહોંચી નથી. જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

