માઉન્ટ લિટેરા ઝી સ્કૂલનો બારડોલીમાં ભવ્ય પ્રારંભ
શિક્ષણ ક્ષેત્રે નવી દિશાની શરૂઆત
તારીખ 26 જૂનના માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, બારડોલીએ ભવ્ય લોન્ચ સમારોહ સાથે પોતાના શૈક્ષણિક પ્રવાસની સત્તાવાર શરૂઆત કરી. આ અવસરે શહેરના અગ્રણી મહાનુભાવો, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વાલીઓ અને શુભેચ્છકોની વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.
આ ભવ્ય લોન્ચ સમારોહ સાથે માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, બારડોલીએ શિક્ષણ ક્ષેત્રમાં એક નવી દિશા અને ઉજ્જવળ ભવિષ્ય તરફના ગૌરવપૂર્ણ પ્રવાસની શરૂઆત કરી છે, જે આવનારા સમયમાં બારડોલીના શિક્ષણ ક્ષેત્ર માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે. પ્રિન્સિપાલ શ્રીમતી જોયશ્રી તલાપાત્રાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ માત્ર શૈક્ષણિક સફળતા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કાર, નેતૃત્વ ક્ષમતા, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને જીવનમૂલ્યોનું ઘડતર કરવાનું ધ્યેય ધરાવે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ મહાનુભાવોના પ્રેરણાદાયી સંબોધનોએ સૌને પ્રભાવિત કર્યા. સ્કૂલના સંચાલન દ્વારા વિશ્વસ્તરીય શિક્ષણ, આધુનિક ટેક્નોલોજી, નવીનતા, સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર આધારિત શિક્ષણ વ્યવસ્થાનું વિઝન રજૂ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી કિશોરભાઈ પાનવાલા હતા, જેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ સમારોહની શોભામાં વધારો કર્યો. સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી શિવોમ મિશ્રા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ગુણવત્તાસભર શિક્ષણ તથા જવાબદાર નાગરિકોના નિર્માણ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા. આ ઉપરાંત ઇસ્કોન મંદિરના એચ.જી. કેશવ શ્યામ સુંદર દાસ મહારાજ, માઉન્ટ લિટેરા ઝી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી જોયશ્રી તલાપાત્રા, રાજુ ચાવડા, બલવંતભાઈ, અંકિત જયસવાલ, ભરતભાઈ જયકિશન પટેલ, JCI બારડોલીના પ્રમુખ કાનાભાઈ તથા તેમની સમગ્ર ટીમ, LNG ના પ્રમુખ શ્રી નિરલ પટેલ, LNG ના સચિવ વિગ્નેશ તેમજ અન્ય અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો.

