માંડવીનાં ઉશકેર-રામકુંદ ગામે ગૌચણ જમીન દબાણ
જમીન દબાણ કરતાંનો કબજો પંચાયતે પરત લીધો
બંગલીઓ તથા ઉભા પાકને જેસીબી તથા ટ્રેક્ટર વડે નાશ કરાયો
માંડવી તાલુકાનાં ઉશકેર-રામકુંદ ગામે ગૌચણ જમીનમાં ગેરકાયદે દબાણ કરતાંનાં કબજા ઉપર ડિમોલેશન કરાવી પંચાયતે પરત લીધો હતો
મળતી માહિતી મુજબ માંડવીનાં ઉશકેર-રામકુંદ ગામે આવેલ ગૌચણની જમીન ઉપર કેટલાક ગામનાં લોકો કબજો કરતાં ગામનાં એક જાગૃત નાગરિક બરવંતભાઇ નાગરભાઇ વસાવા તારીખ 6 ડિસેમ્બરના 2018 થી ગૌચરની જમીન છોડાવવા માટે માંડવી પ્રાંત કચેરીમાં અરજી કરી લડત આપતાં હતાં અને ગ્રામ નમુનો નંબર8 -અ મુજબ કુલ્લે વીસ નંબર આવેલા છે. અને તે મુજબ કુલ્લે 37 – 70 હેકટર ગૌચરની જમીન દબાણ કરાતાં ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ગૌચણની જમીનો મુદ્દો ચર્ચામાં આવતાં દબાણો ખાલી કરવાંની સુચના આપી હતી, જેનાં અનુસંધાનમાં સ્થાનિક ગ્રામ પંચાયત કચેરી દ્વારા દબાણ કરનારા ઈસમોને નોટીસ પાઠવી ગૌચરનો કબજો ખાલી કરવાં માટે જણાવ્યું હતું પણ કેટલાક તત્વો ગૌચણની જગ્યા ખુલ્લી નહી કરતાં પંચાયતનાં સરપંચ, તલાટી ક્રમ મંત્રી, માંડવી સેવા સદન કચેરીનાં અધિકારીઓ તથા પોલીસ કાફલો સાથે આવી આખરે ગૌચરની જમીન આશરે 60 વિંગાનો કબજો પંચાયત હસ્તક કર્યો હતો,…

