સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટનાઓ
વરાછા ખાતે મેળામાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ
મેળાના કર્મચારીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ
સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટનાઓ વચ્ચે મોટા વરાછા ખાતે મેળામાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી જેમાં લોકોનુ રેસ્ક્યુ પણ કરાયુ હતું.
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરત ફાયર વિભાગ દ્વારા મોટા વરાછા ખાતે હાલ ચાલી રહેલા મેળામાં મોકડ્રિલ દરમિયાન ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનુ આયોજન કરાયુ હતું. જેમાં આગ લાગ્યાની ઘટના બાદ લોકોનુ રેસ્ક્યુ કરાયુ હતું. તો આ મોકડ્રીલ દ્વારા ફાયર વિભાગ દ્વારા લોકોને આગની ઘટના સમયે શુ કાળજી રાખવી તે અંગે માહિતી આપી હતી. અને મેળાના કર્મચારીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

