સુરત ગોરાટ રોડ પર બંધ પડેલા બંગલામાં આગ
બંગલામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
આગમાં કોઈ જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોરાટ રોડ પર એક બંધ પડેલા બંગલામાં આગ લાગતા આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ગોરાટ રોડ પર આગ લાગી હતી. સુરતના ગોરાટ રોડ પર આવેલા એક બંધ બંગલામાં આગ લાગી હતી. આગની જાણ થતા જ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

