ગુજરાતના બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગ
રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગ સુરત ડાયમંડ વર્કર યુનિયને કરી
ગુજરાત સરકારનુ બજેટ આવનાર સમયમાં રજુ થનાર હોય જેમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની માંગ સુરત ડાયમંડ વર્કર યુનિયને કરી છે.
રાજ્યના સરકારના બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રાજ્ય સરકાર સમક્ષ સુરત ડાયમંડ વર્કર યુનિયને માંગણી કરી છે. ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોના હિતમાં જાહેરાત કરવા રજુઆત કરાઈ હતી. જો બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી 50 લાખ લોકોને રાહત મળશે, રત્ન કલાકારોને મંદીના માહોલમાં સહારો મળી રહેશે. છેલ્લા પાંચ વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરાઈ રહી છે છતાં હમણાં સુધી કોઈ જાહેરાત થઈ નથી. ત્યારે બજેટમાં કલ્યાણ બોર્ડની જાહેરાત થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

