દાહોદના પશુપાલકોથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય
કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો
પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે
કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુપાલકો માટે કરી મોટી જાહેરાત
કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણમાં પ્રતિકિલો દીઠ ૧ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે મોરવા (રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે મળેલી બેઠકમાં પંચમહાલ ડેરીના ચેરમેન દ્રારા આ જાહેરાત કરાય છે. ખેતી પાકની સાથે ઘાસચારાને થયેલા નુકસાનને ધ્યાને લઇ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય લીધો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ એકાદ બે મહિના સુધી ત્રણેય જિલ્લાના પશુપાલકો પાસેથી પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે છે, દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો કરવાની જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે
