ગુજરાત અને સુરત જિલ્લામાં હાલ યુરિયા ખાતરની અછત
સુરત સાંસદે ખાતરનુ બ્લેક કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી
મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જે.પી. નડ્ડાની મુલાકાત લઈ રજુઆત કરી
ગુજરાત અને સુરત જિલ્લામાં હાલ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી હોય જેને લઈ સુરત સાંસદે ખાતરનુ બ્લેક કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
ગુજરાતમાં અને સુરત જિલ્લામાં યુરિયા ખાતર ની અછત જોવા મળી રહી છે. જેને લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે યુરિયા ખાતરનું બ્લેક કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઈન્ડસ્ટ્રીઝમાં યુરિયા ખાતર એજન્સિઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે. જેને લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જે.પી. નડ્ડાની મુલાકાત લઈ રજુઆત કરી હતી. અને યુરિયા ખાતરની અછત હોવાનું જણાવ્યું હતું. હાલમાં વાવેતરની સીઝન જ ચાલે છે ત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તીવ્ર અછત છે. અને જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે અને ઓલપાડના ગરીબ ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન જશે. 7000 યુરિયા ખાતરની બેગો તાકીદે પૂરી પાડવા માટે રજુઆત કરાઈ હતી. હાલમાં સુરતમાં એક પણ ચિકિત્સા કેન્દ્રો એટલે કે સીજીએચએસ નથી તે પણ સુરતમાં શરૂ કરવા રજુઆત કરાઈ હતી. યુરિયા ખાતર સસ્તું હોવાથી ખેડૂતો ને નહીં પણ ઈન્ડસ્ટ્રીમાં મોકલી દેવામાં આવે છે. આ યુરિયા ખાતરની ચોરીનું કામ છે તેવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ કહ્યુ હતું.
