સુરતમાં સી.આર.પાટીલે દુકાનોમાં ‘સ્વદેશી’ સ્ટીકર લગાવ્યા
કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે
આપણામાં એકજૂટતા તો હોવી જ જોઈએ: સી.આર.પાટીલ
નવરાત્રી બીજા દિવસે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ધારાસભ્યો સાથે દુકાને દુકાને જઈ સ્વદેશી આર્ટિકલ લગાવી લોકોને સ્વદેશી અપનાવવા હાંકલ કરી હતી.
મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે ત્યારે સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે અનોખુ અભિયાન હાથ ધર્યુ છે અને સી.આર. પાટીલે ધારસભ્યો સાથે દુકાને દુકાને જઈ સ્વદેશી આર્ટિકલ લગાવી ગર્વ થી કહો આ સ્વદેશી છે તેમ કહ્યુ હતું. સાથે સી.આર. પાટીલે સૌને સ્વદેશી અપનાવવા હાકલ કરી હતી. આમ સી.આર. પાટીલે પ્રધાનમંત્રી મોદીની સ્વદેશી મુહિમ ને વેગ આપ્યો હતો.

