સુરત મનપાની ચુંટણીના પરિણામમાં મારામારી
વોર્ડ નંબર 18ના ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારી
કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર હુમલો
સુરત મનપાની ચુંટણીના પરિણામ સમયે વોર્ડ નંબર 18ના ઉમેદવારોના સમર્થકો વચ્ચે મારામારીની ઘટના બની હતી.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીના પરિણામ વચ્ચે વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દરજાવત પર હુમલો કરાયો હતો. પોલીસની હાજરીમાં ભાજપ દ્વારા હુમલો કરાયો હતો. જે અંગે તેઓએ જણાવ્યુ હતુ કે ભાજપના વિજેતા ઉમેદવાર દિનેશ રાજપુરોહિતના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ કરાયા. શા માટે હુમલો કરાયો તે તપાસનો વિષય છે જો કે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

