ગુજરાતમાં આજથી જનગણના-2027ની શરૂઆત
સુરત સાંસદ મુકેશ દલાલે વસ્તી ગણતરીમાં નોંધણી કરાવી
મહાનગર પાલિકાના અધિકારીઓ સાંસદ કાર્યાલયે પહોંચ્યા
વસ્તી ગણતરીના નામે ઓટીપી માંગે તો ન આપવા અપીલ
ગુજરાતમાં આજથી એટલે કે 17 મેથી વસ્તી ગણતરી શરૂ થઈ છે. ત્યારે સુરતમાં જનગણના 2027ને લઈ સુરતના ધારાસભ્ય મુકેશ દલાલની ઓફિસે પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતાં. તો મુકેશ દલાલએ લોકોને અપીલ કરી હતી કે વસ્તી ગણતરીના નામે છેતરપિંડી કરે તો ઓટપી ન આપવો.
ગુજરાતમાં આજથી જનગણનાની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં મહાનગર પાલિકાના અધિકારીઓ સુરતના સાંસદ મુકેશ દલાલની ઓફિસે પહોંચ્યા હતાં. મુકેશ દલાલએ વસ્તીગણતરીમાં નામની નોંધણી કરાવી હતી. અને લોકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે કોઈ વસ્તીગણતરીના નામે છેતરપિંડી કરે તો ઓટીપી ન આપવો. લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ હતી. સાથે લોકો વધુને વધુ વસ્તીગણતરીમાં નોંધણી કરાવી અદિકારીઓને સહકાર આપે તેમ કહ્યુ હતું.

