Site icon hindtv.in

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બાટલા ફાટતા આગ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બાટલા ફાટતા આગ
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બાટલા ફાટતા આગ
ભાઠેનામાં આવેલ ઉમિયામાતાના મંદિર પાછળ પંચશીલ નગરમાં આગ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાઠેનામાં આવેલ ઉમિયામાતાના મંદિર પાછળ પંચશીલ નગરમાં બે ગેસલના બાટલા ફાટતા આગ લાગી હતી.

સુરતમાં રોજેરોજ આગના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ભાઠેના વિસ્તારમાં આગ લાગી હતી. ભાઠેનાના ઉમિયા માતાના મંદિર પાછળ આવેલ પંચશીલ નગરમાં આગની લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના ત્રીજા માળે ગેસ લીકેજ બાદ એક સાથે બે ગેસના બાટલા ફાટ્યા હતા જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. તો બનાવને લઈ ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

Exit mobile version