માંડવી નગરમાં શ્રી રાજ રાજેશ્વરી અંબા માતાની સાલગીરી
પોષી પૂનમ નિમિત્તે અંબા માતાના મંદિરે પ્રભાત ફેરી અને યજ્ઞનું આયોજન
માંડવીમાં અંબા માતાની સાલગીરીએ ભક્તિભર્યું માહોલ,
માંડવી નગરમાં આવેલ શ્રી રાજ રાજેશ્વરી અંબા માતાના મંદિરે સાલગીરી શાનદાર રીતે ઉજવવામાં આવી.
માંડવી નગરમાં વર્ષો પુરાણા અંબાજી માતાના મંદિરે આજરોજ પોષી પૂનમ નિમિત્તે અંબા માતાની સાલગીરી આનંદ ઉજવવામાં આવી હતી જે નિમિત્તે સવારે પાંચ કલાકે પ્રભાત ફેરી આખા નગરમાં ફેરવવામાં આવી હતી તેમજ સવારે સાત કલાકે આરતી તેમજ નવ કલાકે હવન પૂજા તથા યજ્ઞ કરવામાં આવ્યો હતો યજ્ઞ પૂર્ણ થતા માઈ ભક્તોના સહયોગ થકી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લઈ પાવન થયા હતા.

