Site icon hindtv.in

સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ

સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ
Spread the love

સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ
વરાછાની સદભાવના સ્કુલમાં ક્લાસ શરૂ થાય તે પહેલા જ એસીમાં બ્લાસ્ટ
સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો

સુરતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હોય તેમ વરાછાની સદભાવના સ્કુલમાં ક્લાસ શરૂ થાય તે પહેલા જ એસીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

સુરત શહેરમાં ફરી એકવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં વરાછાની સદભાવના સ્કૂલમાં ક્લાસ શરૂ થાય તે પહેલાં જ એસી માં બ્લાસ્ટ થતા વિદ્યાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી જાણીતી સદભાવના શાળામાં વહેલી સવારે ક્લાસરૂમ શરૂ થાય તે પૂર્વે જ એસીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોરદાર ધડાકા સાથે ફાટી નીકળેલી આગને પગલે શાળા પરિસરમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જોકે, આ દુર્ઘટના શાળાનો સમય શરૂ થાય તે પહેલાં ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. સ્ટાફે હિંમત બતાવી ફાયર સેફ્ટીના સાધનોથી આગ ઓલવી હતી તો બનાવની જાણ થતા ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કુલિંગ કામગીરી હાથ ધરી હતી.

Exit mobile version