સુરતના પાંડેસરા ખાતે કારીગરનુ મોત
બાંધકામ સાઈટ પર કામ કરતી વેળાએ છઠ્ઠા માળેથી પટકાયો
સુરતના પાંડેસરા ખાતે બાંધકામ સાઈટ પર કામ કરતી વેળાએ છઠ્ઠા માળેથી પટકાયેલા કારીગરનુ મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતું.
સુરતમાં આકસ્મિક રીતે મોતની ઘટનાઓ યથાવત હોય તેમ મુળ યુપી પ્રયાગરાજનો અને હાલ સુરતમાં રહેતી બાંધકામ સાઈટ પર કામ કરતા મંગલેશકુમાર સરોજ પાંડેસરા ભટાર વિસ્તારમાં બાંધકામ સાઈટે કામ કરી રહ્યો હતો તે સમયે તે છઠ્ઠા માળેથી પટકાતા તાત્કાલિક સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

