સુરત મનપાની 12 સમિતિઓના ચેરમેનની નિમણુંક
શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે જાહેરાત કરી
સુરત મનપાની 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે જાહેરાત કરી હતી.
સુરત મનપાની વિવિધ સમિતિઓ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે સત્તાવાર રીતે નામોની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે તમામ નિયુક્ત હોદ્દેદારો શહેરના વિકાસ અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપશે.

