પહલગામ હુમલાને લઈને સુરતના અધિક કલેકટરે દુ:ખ વ્યક્ત કર્યું.
વિજય રબારીએ કહ્યું શૈલેષ કળથીયાના મૃતદેહને લવાશે સુરત
આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર
જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં સુરતના પ્રવાસીનું મોત થયું છે. પહલગામ હુમલાને લઈને સુરતના અધિક કલેકટરે દુ:ખ વ્યક્ત કર્યું છે
– જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં 28 થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં સુરતના પ્રવાસીનું મોત થયું છે. સુરતનાં શૈલેષ હિમતભાઈ કલાઠિયાનું મોત થયુ છે. પહલગામનાં હતભાગીમાં એક ગુજરાતી પણ સામેલ છે. ગુજરાતના 20 થી વધુ પહલગામ ગયા હતા. પહલગામ હુમલાને લઈને સુરતના અધિક કલેકટરે દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહયું છે શૈલેષ કળથીયાના મૃતદેહને સુરત લવાશે
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. તેમજ પ્રવાસીઓમાં ગુજરાતી હોવાની માહિતી મળી છે. ગુજરાતીઓને તમામ બનતી સહાય કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી