મોરબીમાં યુવાનની હત્યાનો આરોપી 6 દિવસથી ફરાર

Featured Video Play Icon
Spread the love

મોરબીમાં યુવાનની હત્યાનો આરોપી 6 દિવસથી ફરાર
રબારી સમાજે મૌન રેલી યોજી,
પોલીસે 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી

મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં 21 વર્ષીય કિશન જગદીશભાઈ કરોતરાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ આરોપી સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર હજુ સુધી પકડાયો નથી. આજે વડવાળા યુવા સંગઠને મૃતકના પરિવારજનો સાથે મૌન રેલીનું આયોજન કર્યું.

મોરબીના ખાખરાળા ગામમાં 21 વર્ષીય કિશન જગદીશભાઈ કરોતરાની છરીના ઘા મારીને હત્યા બાદ આરોપી સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર હજુ સુધી પકડાયો નથી. આજે વડવાળા યુવા સંગઠને મૃતકના પરિવારજનો સાથે મૌન રેલીનું આયોજન કર્યું. રેલીમાં રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સંગઠને એસપી કચેરી ખાતે જઈને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું. ડીવાયએસપી પીએ.ઝાલાએ જણાવ્યું કે બનાવ સ્થળેથી બે કાર્ટિસ અને હથિયાર કબજે કરવામાં આવ્યા છે. આરોપીની ગાડીમાંથી પણ બે કાર્ટિસ મળ્યા છે. આરોપીને પકડવા માટે ચાર ટીમો કામ કરી રહી છે

મૃતક યુવાન કિશન કરોતરાની હત્યા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. મૃતક અને આરોપી વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હોવાનું પણ જાણવા મળ્યું નથી. ડીવાયએસપીએ આરોપીને નીચલી કોર્ટમાંથી જામીન નહીં મળે તેવી ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે મૃતકના પિતા જગદીશભાઈ કરોતરાએ 30 એપ્રિલ 2025ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મૂળ ખાખરાળાનો રહેવાસી છે અને હાલમાં નાની વાવડી ગામમાં રહે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *