સુરતમાં અપહરણના ગુનામાં ફરાર મહિલાની ધરપકડ
આરોપી ભારતીબેન અશોકભાઈ ગધાદરાની ધરપકડ કરી
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર પોલીસ મથકમાં અપહરણ ના ગુનામાં ચાર મહિનાથી નાસ્તી ફરતી મહિલા આરોપીને એસોજીએ ઝડપી પાડી છે.
દિવાળીને લઈ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એસઓજીની ટીમે કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલ સત્યનારાયણ સોસાયટીના નાકેથી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતી ફરતી મહિલા આરોપી ભારતીબેન અશોકભાઈ ગધાદરાની ધરપકડ કરી તેનો કબ્જો કોડીનાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

