સુરત સરથાણામાં પાટીદાર સમાજની 17 વર્ષીય દિકરીનુ અપહરણ
સરથાણા પોલીસે આરોપીને 35 દિવસ બાદ પકડ્યો
આરોપી અરવિંદ પંચાસરા બે બાળકોનો પિતા
અપહરણ કરી જનાર આરોપીનું સરઘસ કાઢ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય દિકરીનુ અપહરણ કરી જનાર આરોપીનું ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિ કન્સ્ટ્રક્શન કરાયુ હતું. જેને લઈ લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. અને ક્રાઈમ બ્રાન્ચ તથા સરથાણા પોલીસ પર લોકોએ ફુલોની વરસાદ કરી હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર નરાધમને સરથાણા પોલીસના પી.એસ.આઈ. એસ.ડી. ચૌધરી અને એ.એસ.આઈ. ચેતન વસોયાએ પકડી પાડ્યા હતાં. આરોપી અરવિંદ પંચાસરા બે બાળકોનો પિતા હોય પાટીદાર દિકરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હોય જે મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા સરથાણા પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે નરાધમ અરવિંદનો કબ્જો લઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળે લઈ ગઈ હતી. સરથાણા પોલીસે આરોપીને 35 દિવસ બાદ પકડ્યો હોય જેને લઈ પોલીસ સ્થળે પહોંચતા ત્યાં ક્રાઈમ બ્રાન્ચ જીંદાબાદના લોકોએ નારા લગાવી પોલીસ પર ફુલોની વરસાદ કરી હતી. હાલ તો રાઈમ બ્રાન્ચે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી

