Site icon hindtv.in

સુરતમાં હિરા જોટવાના સમર્થનમાં આવ્યો આહીર સમાજ

સુરતમાં હિરા જોટવાના સમર્થનમાં આવ્યો આહીર સમાજ
Spread the love

સુરતમાં હિરા જોટવાના સમર્થનમાં આવ્યો આહીર સમાજ
આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ
હિરાભાઈને પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપો કરાયા

 

બહુ ગાજેલા મનરેગા કૌભાંડમાં આહીર સમાજના આગેવાન હિરાભાઈ જોટવાને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.

હાલમાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યો છે જેમાં આહીર સમાજના આગેવાન હિરાભાઈ જોટવાનુ પણ નામ આવતા આહિર સમાજ હિરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યુ છે. અને સુરતમાં આહીર સમાજ દ્વારા હિરાભાઈ જોટવાના સમર્થનમાં કલેકટરને આવેદન પત્ર અપાયુ હતુ અને ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હિરાભાઈ જોટવાને ફસાવાયા હોવાનો અેન હિરાભાઈને પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપો કર્યા હતાં.

Exit mobile version