ભાવનગર શહેર ભાજપ કર્યાલય ખાતે વૃક્ષા રોપણ કરાયું
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ખાસ મુલાકાત લીધી
ભાવનગર શહેર ભાજપ કર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ખાસ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાજપ કર્યાલય ખાતે પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ કરાયું
ભાજપ કાર્યાલય બહાર વૃક્ષ લગાવી એક પેડ માઁ કે નામ સૂત્ર સાર્થક કરી લોકોને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાજપ કર્યાલય ખાતે પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ કરાયું હતું. વૃક્ષા રોપણ કાર્યક્રમ બાદ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી અને મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ નાગરસેવકો સાથે બેઠક યોજી આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંમભણીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

