Site icon hindtv.in

ઉન ખાતે મુસ્લિમ સમુદાયના બે જુથો વચ્ચે પથ્થરમારાની ઘટના

ઉન ખાતે મુસ્લિમ સમુદાયના બે જુથો વચ્ચે પથ્થરમારાની ઘટના
Spread the love

ઉન ખાતે મુસ્લિમ સમુદાયના બે જુથો વચ્ચે પથ્થરમારાની ઘટના
આરોપીઓને સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રકશન કર્યુ
રાયોટીંગનો ગુનો નોંધી બન્ને જુથના લોકોની અટકાયત કરી

સુરતના ઉન ખાતે શનિવારના રોજ રાત્રીના સમયે મુસ્લિમ સમુદાયના બે જુથો વચ્ચે થયેલા પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓને સ્થળે લઈ જઈ પોલીસે રિ કન્સ્ટ્રકશન કર્યુ હતું.

સુરતના ઉન ખાતે શનિવારના રોજ મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. બોલાચાલી બાદ ઉગ્ર વાતાવરણ સર્જાયો હતો અને પથ્થરમારો કરાતા આખા વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. તો બનાવની જાણ થતા ભેસ્તાન પોલીસે સ્થળે દોડી જઈ મામલો શાંત પાડ્યો હતો અને રાયોટીંગનો ગુનો નોંધી બન્ને જુથના લોકોની અટકાયત કરી હતી. જે આરોપીઓને સોમવારે પોલીસે સ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યુ હતું.

Exit mobile version