સુરત : રજા નગરમાં 50 ઘરોને મનપા દ્વારા સીલ કરાયા
મનપા દ્વારા સીલ મારતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો
હાલ તો અસરગ્રસ્તોએ તંત્ર સામે આક્ષેપો કર્યા
સુરતના ભાઠેના વિસ્તારમાં રઝા નગર વસાહતમાં રહેતા 50 મકાનોને સીલ કરી દેવાતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે.
સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ભાઠેના વિસ્તારમાં આવેલ રજા નગર વસાહતના 50 ઘરો પર સીલ મારતા લોકોમાં રોષ ફેલાયો હતો. તો લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ રજા નગર વસાહતમાં 50 પ્લોટગેરકાયદેસર જણાવી મનપા દ્વારા સીલ મારતા સ્થાનિકોમાં આક્રોશ દેખાયો હતો. હાલ તો અસરગ્રસ્તોએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતાં.

